પાકિસ્તાન હવે ભારત સાથે દોસ્તી કરવા તૈયાર થઈ ગયું છે તેઓનું કહેવું છે કે યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી ભારત સાથે યુદ્ધ કરીને પાકિસ્તાનને જ નુકસાન થઈ રહ્યું છે.
ઈસ્લામાબાદમાં મિનરલ સમિટના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અમે અમારા દેશના હિત માટે અમારા પાડોશી સાથે વાત કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા, પરંતુ પરિણામ શું આવ્યું.
આ યુદ્ધોને કારણે દેશને ઘણું નુકસાન થયું છે અને દેશમાં ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા, નબળી આરોગ્ય વ્યવસ્થા અને સંસાધનોનો અભાવ ઉભો થયો છે.
શાહબાઝ શરીફે ઉમેર્યુ કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે પણ તે આક્રમક બનવા માટે નથી પરંતુ પોતાને બચાવવા માટે છે.
અમે નથી ઈચ્છતા કે ક્યારેય પરમાણુ યુદ્ધ થાય. તેમણે કહ્યું કે યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી.
જોકે શાહબાઝ શરીફના આ નિવેદનને નિષ્ણાંતો ચાલ માની રહયા છે તેઓનું માનવું છે કે પાકિસ્તાન આ પ્રકારનું નિવેદન કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે અને વૈશ્વિક છબી બનાવવાનો પ્રયાસ કરે છે. આઈએમએફ અને વર્લ્ડ બેંકને ખુશ કરવા અને તેમનું ધ્યાન આકર્ષિત કરવા તેઓએ આ રમત રમી રહ્યું છે. પાકિસ્તાન પહેલા પણ ભારત સાથે વાતચીત કરવા માટે અમેરિકા સમક્ષ અજીજી કરી ચૂક્યું છે.