પૂર્વ ભારતીય સુકાની એમએસકે પ્રસાદે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે મોટી ભવિષ્યવાણી કરી છે.
IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સિરીઝ રમશે. ODI વર્લ્ડ કપ અને એશિયા કપ પહેલા, સુકાની રોહિત શર્મા યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવા માંગે છે. વનડે વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ભારતના પૂર્વ પસંદગીકાર એમએસકે પ્રસાદે ઓપનિંગ માટે મોટી વાત કહી છે.
એમએસકે પ્રસાદે આ નિવેદન આપ્યું હતું
ભારતના પૂર્વ પસંદગીકાર MSK પ્રસાદે ODI ક્રિકેટમાં કેપ્ટન રોહિતના ઓપનિંગ પાર્ટનર માટે એક અનોખું સૂચન આપ્યું છે. તેમણે કહ્યું કે સૂર્યકુમાર યાદવ પહેલેથી જ છે. સંજુ સેમસન ટોપ ઓર્ડરમાં રમતા બેટ્સમેન છે અને સૂર્યા મિડલ ઓર્ડરમાં નંબર-4 અને નંબર-5 પ્લેયર છે. તમે રોહિત શર્મા સાથે સંજુની ઓપનિંગ જોઈ શકો છો. આ કારણે સ્પર્ધા સંજુ અને વિકેટકીપર બેટ્સમેન વચ્ચે થશે.
ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા
સંજુ સેમસન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ODI અને T20 ટીમમાં પરત ફર્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ બાદથી તે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. ODI ક્રિકેટમાં તેની એવરેજ 66 છે. અત્યારે કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર મોટી ઈનિંગ્સ રમીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. સંજુએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 11 વનડેમાં 330 રન બનાવ્યા છે.
આ ખેલાડીઓ પહેલાથી જ ઓપનિંગના દાવેદાર છે
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ભારતીય ટીમમાં શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન હાજર છે. ગિલ છેલ્લા કેટલાક સમયથી સુકાની રોહિત સાથે ઓપનિંગ કરી રહ્યો છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય વનડે ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.