આજકાલ યોગ્ય ખાનપાનના અભાવે મોટા મોટા પેટ અને ચરબી વાળું શરીર બની જાય છે અને આવા લોકો ટેન્શનમાં આવી જઈ તબીબો પાસે દોડી જતા હોય છે પણ આ માટે ક્યાંય જવાની જરૂર નથી અને મોટાભાગે રસોડામાં જ દવા હાજર હોય છે.
જેના ઉપયોગની એક નાની ટ્રિકથી વજન ઝડપથી ઓછું કરવામાં મદદ મળી શકે છે.
આ માટે કાળા મરીનો પાવડર અને સંચળને દહીંમાં મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો કાયદો મળી શકે છે.
સવારે, બપોરે અને રાત્રે જમવાના એક કલાક પહેલાં એક વાટકી દહીંમાં કાળાનો મરી પાવડર અને સંચળનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી ઝડપથી ઓછી થઈ જશે.
સંચળ અને શેકેલું જીરું ઉમેરીને પણ દહીં ખાઈ શકાય છે તેનાથી પેટની સમસ્યાઓ દૂર કરવાની સાથે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને ફેટ સેલ્સને ટાર્ગેટ કરે છે.
વજન ઘટાડવા માટે મરીનો ઉપયોગ ખુબજ અસરકારક છે
કાળા મરીમાં પિપેરિન હોય છે. એક યૌગિક, જે મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે અને શરીરમાં ચરબીને સ્ટોર થતી અટકાવે છે. મરી ગૂડ કોલેસ્ટ્રોલને પણ વધારે છે અને તે થર્મોજેનિક ફૂડ છે, જે મેટાબોલિઝમની પ્રક્રિયાને વધારવામાં અને કેલેરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે, મસાલેદાર ખોરાક ખાવાથી તૃપ્તિ વધે છે અને ઓછું ખાધા પછી પણ તમને પેટ ભરેલું લાગે છે.
દહીં એક ઉત્તમ ફેટ બર્નર છે. તેમાં ઉચ્ચ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે BMI સ્તરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. દહીં હાજર પ્રોબાયોટિક્સ પાચનતંત્રને હેલ્થી રાખે છે અને મેટાબોલિઝમ સુધારે છે, જેથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. દહીં કેલ્શિયમનો એક રીચ સોર્સ છે અને આપણા BMIને નિયંત્રિત રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી તમારે ભોજનમાં દહીંને જરૂર સામેલ કરવું જોઇએ, જેથી તમે વધારે વજન ઘટાડી શકો.
આ માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી અને મોટાભાગે આ બધી વસ્તુ ઘરમાં જ ઉપલબ્ધ હોય છે.