પરિણીતી અને રાઘવ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરમાં તેમના લગ્નની વિધિઓ પૂર્ણ થઈ ગઈ છે અને લગ્નમાં વીઆઈપી મહેમાનો હાજર રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરે પણ લગ્નમાં હાજરી આપવા ઉદયપુર પહોંચ્યા હતા અને સાનિયા મિર્ઝા પણ લગ્નમાં જોવા મળી હતી. આ રીતે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એકબીજાના બની ગયા છે. આ હાઈપ્રોફાઈલ લગ્નને લઈને ઘણી ગુપ્તતા જાળવવામાં આવી છે અને કોઈ પણ ફોટો કે વિડિયો બહાર ન જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આદિત્ય ઠાકરે ઉદયપુર પહોંચ્યા
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં હાજરી આપવા આદિત્ય ઠાકરે ઉદયપુર પહોંચી ગયા છે. આદિત્ય વીડિયોમાં કહી રહ્યો છે કે આજે રાજનીતિ નથી, રાગનીતિ છે…