Nushrratt Bharuccha પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હમાસે ઈઝરાયેલમાં વિદેશીઓને પણ બક્ષ્યા નથી. હમાસે નેપાળીઓને પણ બંધક બનાવ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ભારતીયો પણ ત્યાં અટવાયા છે. બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ફસાઈ ગઈ છે. નુસરતની ટીમ અને તેના પરિવારજનો તેનો સંપર્ક કરી શકતા નથી.
નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાયા
ઇઝરાયેલની સેનાની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં થાય છે. તેની પાસે વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર સંસ્થા મોસાદ છે, પરંતુ તેમ છતાં હમાસ ઈઝરાયેલ પર હુમલો કરવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં નુસરત ભરૂચાની ટીમ અને પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નુસરત હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી.
નુસરતનો સંપર્ક થઈ શક્યો નથી
તેની ટીમ દ્વારા આપવામાં આવેલા સંદેશ અનુસાર, છેલ્લી વખત જ્યારે અભિનેત્રીનો લગભગ 12.30 વાગ્યે સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે નુસરતે કહ્યું હતું કે તે બધા સાથે ભોંયરામાં હતી. દરમિયાન, અભિનેત્રી વિશે એક નવું અપડેટ બહાર આવ્યું છે કે તે ઇઝરાયેલમાં સુરક્ષિત સ્થાને છે અને ટૂંક સમયમાં ભારત આવશે. અભિનેત્રીને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.