Shani Jayanti 2024: 6 જૂન 2024 અને ગુરુવારે પંચાંગ અનુસાર શનિ જયંતિ ઉજવાશે. આ વર્ષે શનિ જયંતિનો પર્વ ખાસ રહેવાનો છે. આ વર્ષે શનિ જયંતિ ગુરુવારે છે અને આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે. ન્યાય અને કર્મના દેવતા શનિદેવની વાત કરીએ તો જ્યારે શનિદેવ કોઈથી નારાજ થાય છે તો વ્યક્તિને ચારેતરફથી તકલીફો ઘેરી વળે છે. અને જ્યારે શનિ દેવ કોઈ પર પ્રસન્ન થાય છે તો તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી.
શનિ દેવને પ્રસન્ન કરવા હોય તો શનિ જયંતિનો પર્વ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. 6 જૂન 2024 ના રોજ શનિ જયંતિ છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાની સાથે કેટલાક સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ દુર થાય છે અને ખરાબ શનિ પણ સુધરી જાય છે. તો ચાલો તમને જણાવીએ 3 અચુક ઉપાયો વિશે જેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિનો અશુભ પ્રભાવ
શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. ઘણીવાર આપણાથી અજાણતા એવી ભુલો થઈ જાય છે જે શનિદેવના ક્રોધનું કારણ બને છે. જેમકે મોડી રાત સુધી જાગવું. ઘણા લોકોને મોડી રાત સુધી જાગવાની અને સવારે અલગ અલગ સમયે ઉઠવાની આદત હોય છે. જે લોકો સુવામાં અને જાગવામાં અનિયમિત હોય છે તેઓ શનિને એક્ટિવેટ કરે છે. આ સિવાય બેડ પર બેસીને કંઈપણ ખાવાથી પણ શનિ ખરાબ થાય છે. આ આદતો શનિને ક્રોધિત કરવાનું કામ કરે છે.
શનિ જયંતિના 3 અચૂક ઉપાયો
જો તમારી સાડાસાતી, ઢૈયા, શનિની મહાદશા ચાલી રહી છે અને જીવનમાં કષ્ટનો સામનો કરવો પડતો હોય અથવા તો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો શનિ જયંતિ પર આ 3 અચૂક ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમારું સુતું ભાગ્ય જાગી જશે. અને શનિ સંબંધિત દોષથી મુક્તિ મળશે.
3 ચમત્કારી ઉપાયો કયા છે ?
- શનિ જયંતિ પર ઘરે કાળા ચણાનું શાક બનાવો અને ઘરના બધા સભ્યોને પ્રેમથી જમાડો. આ ચણાને તમે જરૂરીયાતમંદોને વહેંચી પણ શકો છો.
- શનિ જયંતિના દિવસે છાયા દાન પણ કરવું ઉત્તમ રહે છે. એક તાંબાના વાસણમાં તેલ ભરી તેમાં પહોતાનો ચહેરો જોવો. ત્યારબાદ તેલ સહિત તાંબાના પાત્રને મંદિરમાં મુકી દેવું. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ અને સમસ્યાઓ દુર થવા લાગે છે.
- શનિ જયંતિના દિવસે દાન કરવું પણ શુભ રહે છે. ખાસ કરીને કાળી વસ્તુનું દાન ફળદાયી ગણાય છે. તેના માટે કાળા રંગના 2 ધાબળા લેવા અને આ ધાબળાને પોતાના માથા પર અડાડી મંદિરમાં અથવા કોઈ જરુરીયાતમંદ વ્યક્તિને દાન કરી દો.