Kalawa: હિન્દુ રીત રિવાજ અનુસાર જ્યારે પણ કોઈ માંગલિક કાર્ય કે પૂજા કરવામાં આવે છે તો પંડિતજી સૌથી પહેલા કાંડા પર નાડાછડી બાંધે છે. નાડાછડીને રક્ષા સૂત્ર અથવા તો કલાવા પણ કહેવાય છે. આ લાલ દોરો ખરાબ નજરથી બચાવ કરે છે અને શુભ ફળ પણ આપે છે. ઘણી વખત લોકો પંડિત પાસે જ્યારે કાંડુ પણ બંધાવતા હોય છે. કાંડા પર લાલ દોરો એટલે કે નાડાછડી બાંધવી શુભ ગણાય છે. પરંતુ બે રાશિના લોકો એવા છે જેમના માટે આ દોરો સંકટ વધારી શકે છે.
ધાર્મિક માન્યતા અનુસાર નાડાછળી બધી જ નકારાત્મક શક્તિને પોતાના સમાહિત કરી લે છે. નાડાછડી હાથમાં ધારણ કરનાર ખુશહાલ જીવન જીવે છે. પરંતુ રાશિ ચક્રની બે રાશિ એવી છે જેમણે હાથ પર નાળાછડી બાંધવી જોઈએ નહીં. આવું શા માટે છે ચાલો તે પણ જણાવીએ.
શનિ, મંગળનો દોષ
જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર જે રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલતી હોય તેમણે હાથ પર રક્ષાસૂત્ર બાંધવું નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરીરમાં કાંડાનો ભાગ મંગળનું સ્થાન હોય છે. સાથે જ લાલ રંગ હનુમાનજીને પ્રિય છે તેથી જ કાંડા પર લાલ દોરો બાંધવાનું કહેવામાં આવે છે. પરંતુ મંગળ અને શનિ શત્રુ છે. જો સાડાસાતી ચાલતી હોય તે વ્યક્તિ હાથ પર લાલ દોરો બાંધે છે તો તેને કષ્ટ ભોગવવા પડે છે. જોકે તેનો અર્થ એવો પણ નથી કે પૂજા પાઠ દરમિયાન કાંડુ ન બંધાવો. પૂજા દરમિયાન કાંડા પર દોરો બાંધવો જરૂરી હોય છે. પૂજા પતે પછી હાથ પરથી કાંડુ છોડી અને શમીના ઝાડની નીચે તેને પધરાવી દેવો જોઈએ.
કઈ રાશિના લોકોએ ન બાંધવું રક્ષાસૂત્ર
આ સિવાય જે રાશિનો સ્વામી ગ્રહ શનિ છે તેમણે પણ કાંડા પર લાલ દોરો બાંધી રાખવો નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે.. તેવામાં આ બે રાશિના લોકો જો કાંડા પર લાલ દોરો બાંધે તો તેમને કષ્ટ ભોગવવા પડે છે. જો કોઈ પૂજા કે અનુષ્ઠાન સમયે હાથમાં નાડાછડી બાંધી હોય તો પૂજા પતે પછી તેને ઉતારી દેવી જોઈએ.
આ સિવાય કાંડા પર લાલ દોરો બાંધવો મેષ, વૃષભ, સિંહ અને મકર રાશિના લોકો માટે શુભ ગણાય છે. મેષ રાશિનો સ્વામી મંગળ છે.તેઓ હાથમાં નાડાછડી બાંધે તો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. વૃષભ રાશિના લોકો પણ કાંડુ બાંધે તો તેમનું ભાગ્ય ચમકી જાય છે. સિંહ રાશીના લોકો જો હાથમાં રક્ષાસૂત્ર બાંધે તો તેમના જીવનમાં સુખ વધે છે.