પીએમ મોદીને દેશ-વિદેશમાં અનેક પ્રકારની ગિફ્ટ મળતી રહે છે હવે ફરી એકવાર પીએમ મોદીને મળેલી ગિફ્ટની હરાજી કરવામાં આવી રહી છે. જો તમે પણ પીએમ મોદીને આપેલી ભેટ તમારા ઘરે લાવવા માંગો છો, તો તમે તેના પર હરાજી દ્વારા બોલી લગાવી શકો છો. આમાં 100 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા અને તેનાથી પણ વધુ ગિફ્ટ્સ સામેલ છે.
પ્રદર્શન ક્યાં છે?
તમને જણાવી દઈએ કે આ પ્રદર્શન નવી દિલ્હીના જયપુર હાઉસના નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનનો સમય સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગેની માહિતી આપી છે. પીએમ મોદીએ કેટલીક તસવીરો શેર કરતા લખ્યું છે કે 2જી ઓક્ટોબરથી એનજીએમએ દિલ્હીમાં એક પ્રદર્શન શરૂ થઈ રહ્યું છે જેમાં મને છેલ્લા કેટલાક વર્ષોમાં આપવામાં આવેલી ભેટ અને સંભારણું પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. આ ભેટોની હરાજી થઈ રહી છે, તમે આ હરાજીમાં ભાગ લઈ શકો છો.
ઈ-ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
જો તમે પણ પીએમ મોદીની ભેટ તમારા ઘરે લાવવા માંગો છો, તો તમે ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકો છો. આ માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમે pmmementos.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ પછી જ તમે હરાજીમાં ભાગ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે સરકાર આ હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ માટે કરશે.
2019માં પ્રથમ વખત હરાજી યોજાઈ હતી
સરકાર દ્વારા આ ભેટોની હરાજી થઈ ચૂકી છે. વર્ષ 2019માં પહેલીવાર પીએમ મોદીની લગભગ 1900 ભેટોની હરાજી કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીને વિવિધ દેશોમાંથી ચિત્રો, શિલ્પો, શાલ, પાઘડી, જેકેટ જેવી ઘણી કિંમતી ભેટ મળી હતી. આ પણ હરાજી દ્વારા વેચવામાં આવ્યા હતા. 2019માં સરકારે બે વખત હરાજી કરી હતી અને વર્ષ 2020માં પણ બે વખત હરાજી કરવામાં આવી હતી.