જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કેટલાક લોકોએ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગયા બાદ બેંકોમાં જમા કરાવી ન હતી, પરંતુ તેના બદલે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી કેશ ઓન ડિલિવરી (COD) ઓર્ડર લઈને રૂ. 2000ની નોટોનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં, 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થયા પછી, ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોને કેશ ઓન ડિલિવરી સમયે 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની જાહેરાત કરી હતી.
આ અંગેની માહિતી FAQ માં પણ આપવામાં આવી છે
તાજેતરમાં, એમેઝોન તરફથી કેશ ઓન ડિલિવરી (સીઓડી) ઓર્ડર માટે રૂ. 2,000ની નોટ સ્વીકારવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર જણાવવામાં આવી હતી. એટલે કે હવે તમે એમેઝોન પર કોઈપણ વસ્તુનો ઓર્ડર કરશો તો હવે એમેઝોન તમારી પાસેથી રૂ. 2000ની નોટ સ્વીકારશે નહીં. કંપની દ્વારા તેની વેબસાઇટ પર આપવામાં આવેલા FAQમાં પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.
2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર
એમેઝોને થોડા દિવસો પહેલા તેની વેબસાઈટ પર આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે અમે 2000 રૂપિયાની નોટ સ્વીકારી રહ્યા છીએ. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે 19 સપ્ટેમ્બર, 2023થી અમે કેશ ઓન ડિલિવરી (COD) ઓર્ડર અથવા કેશલોડ માટે 2,000 રૂપિયાની નોટ સ્વીકારીશું નહીં. વાસ્તવમાં, તાજેતરમાં જ RBI દ્વારા 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ સાથે જ રિઝર્વ બેંકે બેંકોમાં 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. હાલમાં જ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની 93 ટકા નોટો પરત આવી ગઈ છે. સૂત્રોનો દાવો છે કે RBI રૂ. 2000ની નોટો પાછી ખેંચવાની તારીખ બદલવાના મૂડમાં નથી.