Nirav Modi: પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં સામેલ નીરવ મોદીના લંડનથી ભારત પ્રત્યાર્પણ માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
Nirav Modi Update: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં સામેલ નીરવ મોદીની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સ્થાવર મિલકત ઉપરાંત, જપ્ત કરવામાં આવેલી મિલકતમાં જમીન અને બેંક ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 2625.75 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
તેની તપાસ દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશમાં નીરવ મોદી અને તેની કંપનીની 29.75 કરોડ રૂપિયાની સંપત્તિ શોધી કાઢી હતી. આ સંપત્તિ જમીનો, ઈમારતો અને બેંક બેલેન્સના રૂપમાં હતી જે PMLA કાયદા હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં EDએ 25.75 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ સિવાય ઇકોનોમિક ફ્યુજીટિવ એક્ટ 2018 હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીરવ મોદી અને તેના સહયોગીઓની 692.70 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાંથી 1052.42 કરોડ રૂપિયાની સંપત્તિ છેતરપિંડીનો ભોગ બનેલી પંજાબ નેશનલ બેંક અને તેની કન્સોર્ટિયમ બેંકોને પરત કરવામાં આવી છે.