એરલાઇન કંપની ગો ફર્સ્ટ, જે રોકડની તંગીનો સામનો કરી રહી છે, તેણે ઓપરેશનલ કારણોસર 30 નવેમ્બર સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી છે. અગાઉ તેણે 2 ઓક્ટોબર સુધી ફ્લાઈટ્સ રદ કરી હતી. કંપનીએ 3 મેથી ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું બંધ કરી દીધું છે. કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને અલ્વારેઝ એન્ડ માર્સલના અભિલાષ લાલને રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કંપનીએ મે મહિનાથી પોતાની ફ્લાઈટ સર્વિસ બંધ કરી દીધી છે. કંપનીએ NCLTમાં નાદારી પ્રક્રિયા માટે અરજી કરી છે. વાસ્તવમાં, ગો ફર્સ્ટ એરલાઇનને પ્લેન માટે એન્જિન પ્રદાન કરતી પ્રેટ એન્ડ વ્હિટનીને એરલાઇનની આ હાલત માટે જવાબદાર ગણવામાં આવી છે.
ગો ફર્સ્ટનું કહેવું છે કે પ્રેટ એન્ડ વ્હિટનીના ખામીયુક્ત એન્જિનને કારણે એરલાઈને તેના વિમાનોને ગ્રાઉન્ડેડ રાખવા પડ્યા હતા, જેના કારણે એરલાઈનને નુકસાન થયું હતું.