Paytm : તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવી થાપણો અને ક્રેડિટ વ્યવહારો લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બાદમાં આરબીઆઈએ સમયમર્યાદા 15 માર્ચ, 2024 સુધી લંબાવી હતી. આ આંચકા બાદ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા પહેલીવાર સામે આવ્યા છે. શર્માએ કહ્યું કે પેટીએમને એશિયન લીડર બનાવવાનો ઉદ્દેશ્ય છે.
પુનરાગમનનો વિશ્વાસ ધરાવતા શર્માએ કહ્યું કે Paytmની શરૂઆતથી અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીમાંથી તેણે સૌથી મોટો પાઠ શીખ્યો છે – “એવું બની શકે કે તમારી ટીમના લોકો યોગ્ય રીતે સમજી ન શકે.”
ટોક્યોમાં ફિનટેક ઇવેન્ટમાં ભાગ લીધો
એક અહેવાલ અનુસાર, 31 જાન્યુઆરીએ આરબીઆઈની કાર્યવાહી બાદ કટોકટી શરૂ થયા બાદ શર્માની આ પ્રથમ જાહેરમાં હાજરી હતી. શર્માએ જાપાનની રાજધાની ટોક્યોમાં ફિનટેક ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
વિજય શેખર શર્મા Paytm ને એશિયા લીડર બનાવવા માંગે છે
Paytm પેમેન્ટ્સ બેંકની બેંકિંગ કામગીરી પર પ્રતિબંધ હોવા છતાં, શર્મા હજુ પણ Paytm ને એશિયા લીડર બનાવવા માંગે છે. બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તે પોતાના જીવનકાળમાં આ લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. આરબીઆઈના પ્રતિબંધો વિશે વાત કરતા શર્માએ કહ્યું કે તેનાથી કંપનીના ગ્રોથ મેપના સંદર્ભમાં સ્પષ્ટતા આવી છે.