મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી અનંત નાગેશ્વરને શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા 2023 અને 2030 વચ્ચે વાર્ષિક સરેરાશ 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે.
વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે
BCCI ઈન્ડો પેસિફિક ઈકોનોમિક કોન્ક્લેવમાં બોલતા, નાગેશ્વરને કહ્યું કે વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં જોડાવું પડશે અને ચાઈના પ્લસ વન વ્યૂહરચના માટે પોતાને આકર્ષક બનાવવું પડશે.
તેઓએ કહ્યું કે
નાણાકીય વર્ષ 2021-22માં આપણો આર્થિક વિકાસ દર 9.1 ટકા હતો, નાણાકીય વર્ષ 2022-23માં તે 7.2 ટકા હતો. આ વર્ષ અને દાયકાના બાકીના વર્ષોનો સરેરાશ વિકાસ દર 6.5 ટકા રહેવાની ધારણા છે. હું 6.5 ટકા વૃદ્ધિ દરની વાત કરી રહ્યો છું. 7.5 કે આઠ ટકા નહીં. તેનું એક મોટું કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન, વૈશ્વિક વૃદ્ધિમાં 2003 અને 2008 વચ્ચે જે પ્રકારનો વેગ જોવા મળ્યો હતો તે જ પ્રકારનો વેગ જોવાની શક્યતા ઓછી છે.
તેમણે કહ્યું કે ભારતે છેલ્લા આઠ વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 2014માં આપણી અર્થવ્યવસ્થા 10મા નંબરે હતી અને હવે તે પાંચમા નંબરે છે. આ દાયકાના અંત સુધીમાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું.