નવા રેન્ટ ફ્રી રહેઠાણના નિયમો: જો તમે કર્મચારી છો અને તમને કંપની તરફથી મફત રહેઠાણ મળ્યું છે, તો હવે તમે વધુ ટેક્સ બચાવી શકશો અને પહેલા કરતાં વધુ પગાર લઈ શકશો. તાજેતરમાં, આવકવેરા વિભાગ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મફત આવાસ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આ અંગે પહેલાથી જ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.
નિયમોંમા શું ફેરફાર થયા?
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મફત આવાસનું મૂલ્ય બે રીતે ગણવામાં આવશે. પ્રથમ – 2011ની વસ્તી ગણતરી મુજબ, જો કોઈ કર્મચારીને 40 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં મકાન મળ્યું હોય, તો તેની કિંમત પગારના 10 ટકા હશે, જે પહેલા 15 ટકા હતી. બીજું – 2011ની વસ્તીગણતરી મુજબ, જો કોઈ કર્મચારીને 15 લાખથી વધુ અને 40 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરમાં મકાન મળ્યું હોય તો તેની કિંમત પગારના 7.5 ટકા થશે, જે પહેલા 10 ટકા હતી.
કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે?
તેનો સીધો લાભ તે કર્મચારીઓને મળશે જેમને તેમના એમ્પ્લોયર પાસેથી મકાનો મળ્યા છે. ઘરની કિંમત પહેલા કરતા ઓછી હોવાને કારણે, કર્મચારીઓ પાસે પહેલા કરતા વધુ પૈસા બચશે અને તેઓ વધુ પગાર ઘરે લેશે.
તેનાથી તે કર્મચારીઓને વધુ ફાયદો થશે, જેમને કંપનીઓ દ્વારા મોંઘા મકાનો આપવામાં આવે છે. જો કે, જે કર્મચારીઓને સામાન્ય મકાનો આપવામાં આવ્યા છે તેમને પણ આનો લાભ મળશે.