Malaika Arora:મલાઈકા અરોરા પર દુઃખનો પહાડ પડ્યો, પિતાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી.
અભિનેત્રી Malaika Arora ના પિતા વિશે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીના પિતાએ આત્મહત્યા કરી લીધી છે.
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.અભિનેત્રીના પિતા અનિલ અરોરા એ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે.રિપોર્ટ અનુસાર, મલાઈકાના પિતાએ ટેરેસના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
Maharashtra | Father of actress-model Malaika Arora died by suicide by jumping off a terrace. Police team is present at the spot: Mumbai Police
— ANI (@ANI) September 11, 2024
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. અરબાઝ ખાન ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
Arora પરિવાર આઘાતમાં
રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના પિતા Anil Arora એ આજે સવારે 9 વાગ્યાની આસપાસ બાંદ્રામાં બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ દુખદ સમાચારથી સમગ્ર અરોરા પરિવાર આઘાતમાં છે. આ મુશ્કેલ સમયમાં અભિનેતા અરબાઝ ખાન મલાઈકા અરોરાના ઘરે પહોંચી ગયો છે. તેમના સિવાય વરિષ્ઠ નિરીક્ષક મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
કહેવાય છે કે જ્યારે અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે અભિનેત્રી મલાઈકા ઘરમાં હાજર ન હતી. અભિનેત્રી હાલમાં પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.
ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
જણાવી દઈએ કે Malaika Arora ના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારથી સંબંધ ધરાવતા હતા. તેઓ ભારતીય નૌકાદળનો હિસ્સો રહી ચૂક્યા છે.જણાવી દઈએ કે તેણે મલયાલી ક્રિશ્ચિયન પરિવારના જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે 2023માં અનિલ અરોરાને ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તે સમયે તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું ન હતું.
રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાય છે કે મલાઈકાના પિતાની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી હતી. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હાલ પોલીસ આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.