Midcap Funds: જો તમે યોગ્ય વ્યૂહરચના સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમે સારું વળતર જનરેટ કરી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડને શેરબજારમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. જો તમે યોગ્ય વ્યૂહરચના સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમને લાંબા ગાળે સારું વળતર મળી શકે છે. તાજેતરના સમયમાં મિડ-કેપમાં આવેલી તેજીને કારણે મિડકેપ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. આજે આ લેખમાં અમે એવા ફંડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે રોકાણકારોને સારું વળતર આપ્યું છે.
ક્વોન્ટ મિડકેપ ફંડ
ક્વોન્ટ મિડકેપ ફંડ દેશના સૌથી મોટા ફંડોમાંનું એક છે. તેની ચોખ્ખી સંપત્તિ 4,222.43 કરોડ રૂપિયા છે. ફંડે રોકાણકારોને છેલ્લા ત્રણ મહિનામાં 25.72 ટકા, 6 મહિનામાં 29.25 ટકા, 1 વર્ષમાં 51.87 ટકા, 3 વર્ષમાં 38.29 ટકા અને 5 વર્ષમાં 29.74 ટકાનું સરેરાશ વાર્ષિક વળતર આપ્યું છે. તેનો ખર્ચ ગુણોત્તર 1.87 ટકા છે.
મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ
મોતીલાલ ઓસ્વાલ મિડકેફે ફંડ પણ એક મોટું મ્યુચ્યુઅલ ફંડ છે. તેણે છેલ્લા 3 મહિનામાં 19.51 ટકા, 6 મહિનામાં 25.14 ટકા, એક વર્ષમાં 47.85 ટકા, 3 વર્ષમાં 36.33 ટકા અને 5 વર્ષમાં 26.18 ટકા વાર્ષિક વળતર આપ્યું છે. તેનો ખર્ચ ગુણોત્તર 1.77 ટકા છે.
નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડ
નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડની ચોખ્ખી સંપત્તિ રૂ. 23,494 કરોડ છે. ફંડે રોકાણકારોને છેલ્લા ત્રણ મહિનામાં 20.79 ટકા, છ મહિનામાં 26.52 ટકા, એક વર્ષમાં 53.58 ટકા, 3 વર્ષમાં 32.37 ટકા અને 5 વર્ષમાં 25.72 ટકાનું સરેરાશ વળતર આપ્યું છે. તેનો ખર્ચ ગુણોત્તર 1.65 ટકા છે.
HDFC મિડકેપ ઓપર્ચ્યુનિટીઝ ફંડ
HDFC મિડકેપ ઓપર્ચ્યુનિટીઝ ફંડની નેટ એસેટ્સ રૂ. 56,032.99 કરોડ છે. રોકાણકારોને આ ફંડમાંથી 3 મહિનામાં 20.45 ટકા, 6 મહિનામાં 23.2 ટકા, એક વર્ષમાં 52.14 ટકા, 3 વર્ષમાં 33.51 ટકા અને 5 વર્ષમાં 24.78 ટકા વાર્ષિક વળતર મળ્યું છે. તેનો ખર્ચ ગુણોત્તર 1.47 ટકા છે.