ફ્લાઇટ્સની વધતી માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય એરલાઇન્સ શિયાળામાં દર અઠવાડિયે 23,732 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ આઠ ટકા વધુ છે. એરલાઇન સેક્ટર રેગ્યુલેટર DGCAએ શિડ્યુલ્ડ એરલાઇન્સ માટે શિયાળુ સિઝનની ફ્લાઇટ્સ માટે મંજૂરી આપી છે. શિયાળુ સત્ર 29 ઓક્ટોબરથી 30 માર્ચ સુધી ચાલશે. આ ફ્લાઇટ પ્રોગ્રામમાં GoFirstનો સમાવેશ થતો નથી, જે નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયાનો સામનો કરી રહી છે.
ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ 3 મેથી બંધ
તમને જણાવી દઈએ કે ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ 3 મેથી બંધ છે. હાલમાં એરલાઇન નાદારીની પ્રક્રિયાનો સામનો કરી રહી છે. DGCAએ જણાવ્યું કે 2023ના શિયાળુ સત્ર દરમિયાન દર અઠવાડિયે 118 એરપોર્ટ પરથી 23,732 ફ્લાઈટ્સ ઉડશે. ગયા વર્ષે શિયાળુ સત્રમાં દર અઠવાડિયે 106 એરપોર્ટ પરથી 21,941 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી હતી. આ રીતે, આ વર્ષે સાપ્તાહિક ધોરણે ફ્લાઇટની સંખ્યામાં 8.16 ટકાનો વધારો થયો છે.
2023ના ઉનાળાના સત્રમાં દર અઠવાડિયે 110 એરપોર્ટ પરથી 22,907 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી હતી. ઈન્ડિગો શિયાળાની ઉડ્ડયન સીઝનમાં મહત્તમ 13,119 સ્થાનિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે. વાર્ષિક ધોરણે આ 30.08 ટકા વધુ છે. એર ઈન્ડિયા 2,367 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે, જે વાર્ષિક ધોરણે 18.94 ટકાનો વધારો છે. DGCA દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ ટિકિટના ભાવમાં ઘટાડો થઈ શકે છે.