ખાલિસ્તાન સમર્થકો બ્રિટનના લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમય દરમિયાન ભારતીય હાઈ કમિશનની સામે મોટી સંખ્યામાં બ્રિટિશ સુરક્ષા દળોના જવાનો તૈનાત છે. વિરોધીઓ ભારતીય હાઈ કમિશનની સામેની બાજુએ જ સીમિત થઈ ગયા છે. આ ઉપરાંત ભારતીય હાઈ કમિશનની આસપાસ સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે.
#WATCH | UPDATE | High-security cordon around Indian High Commission in London, UK as pro-Khalistan supporters gather outside High Commission staging a protest. pic.twitter.com/E4M9HWNHKw
— ANI (@ANI) October 2, 2023
ખાલિસ્તાન સમર્થકો આ પહેલા પણ લંડનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
આ પહેલીવાર નથી જ્યારે ખાલિસ્તાન સમર્થકો લંડનમાં રસ્તા પર ઉતર્યા હોય. આ પહેલા પણ લંડન સહિત કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પ્રદર્શનો થયા હોવાના અહેવાલ છે. આ વર્ષની શરૂઆતમાં પણ ખાલિસ્તાની વિરોધીઓ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર બેથી ત્રણ કલાક સુધી વિરોધ કરવાના ઈરાદા સાથે એકઠા થયા હતા. જોકે, આ પ્રદર્શન લાંબો સમય ટકી શક્યું નહીં.
નિજ્જરના મૃત્યુ બાદ દેખાવો વધી ગયા
જુદા જુદા દેશોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પાછળનું એક કારણ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરનું મોત છે. નોંધનીય છે કે 18 જૂને કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારની નજરમાં હરદીપ UAPA હેઠળ આતંકવાદી હતો. ખાલિસ્તાન સમર્થકોનો આરોપ છે કે ભારતીય એજન્સીઓએ નિજ્જરની હત્યા કરાવી છે.