અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કર પૂર્વેના નફામાં વાર્ષિક ધોરણે 42 ટકાનો વધારો નોંધાવ્યો હતો. અદાણી ગ્રુપ દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી.
અદાણી જૂથ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જૂથે એપ્રિલ-જૂન વચ્ચે રૂ. 23,532 કરોડનું EBITDA નોંધ્યું છે. કંપની દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ સૌથી વધુ EBITDA આંકડો છે.
18,689.7 કરોડનું ચોખ્ખું દેવું
અદાણી ગ્રુપની લગભગ 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ અને અદાણી ટોટલ ગેસ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીઓ પાસે રૂ. 42,115 કરોડની રોકડ રકમ સહિત, જૂથ પર રૂ. 18,689 કરોડનું દેવું છે.
હિંડનબર્ગ પછી અદાણી ગ્રુપ રિકવર થઈ રહ્યું છે
24 જાન્યુઆરીએ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે ગ્રુપ માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો હતો. જો કે અદાણી ગ્રુપ દ્વારા આ તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. રોકાણકારોની ચિંતાને ધ્યાનમાં રાખીને લોન પણ પરત કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.
હિન્ડેનબર્ગના અહેવાલ પછી અદાણી જૂથને GQG જેવા મોટા રોકાણકારો મળ્યા છે, જેમણે જૂથની પાંચ કંપનીઓમાં રોકાણ કર્યું છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસનો EBITDA બમણો
વાર્ષિક ધોરણે પ્રથમ ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો EBITDA લગભગ બમણો વધીને રૂ. 1,718 કરોડ થયો છે. આ કંપનીના EBITDA ના 7 ટકા જેટલું છે.
અદાણી ગ્રીને વાર્ષિક ધોરણે 67 ટકાના વધારા સાથે રૂ. 2,200 કરોડનો EBITDA નોંધાવ્યો હતો. કંપનીની ઓપરેશનલ ક્ષમતા વધીને 8,316 મેગાવોટ થઈ ગઈ છે.