ટ્રેન અથવા હવાઈ મુસાફરી કરતા મુસાફરો ટૂંક સમયમાં તેમની આગળની મુસાફરી માટે દિલ્હી મેટ્રોમાં ‘ટિકિટ રિઝર્વ’ કરી શકશે. અધિકારીઓએ જણાવ્યું કે IRCTC અને DMRCએ ‘વન ઈન્ડિયા-વન ટિકિટ’ પહેલ શરૂ કરવા માટે જોડાણ કર્યું છે. ડીએમઆરસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. આ પગલાનો ઉદ્દેશ્ય મુસાફરોને પરિવહનના વિવિધ પ્રકારોમાં એકીકૃત અને મુશ્કેલી રહિત અનુભવ આપવાનો છે.
એક નિવેદનમાં, DMRCએ જણાવ્યું હતું કે, “ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મુસાફરોની સુવિધા વધારવા માટે એક વ્યૂહાત્મક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.”
નિવેદન અનુસાર, “આ અભૂતપૂર્વ સહયોગનો ઉદ્દેશ્ય ‘વન ઈન્ડિયા-વન ટિકિટ’ પહેલ હેઠળ IRCTC પોર્ટલ દ્વારા DMRC સેવાઓ માટે QR કોડ-આધારિત ટિકિટિંગની રજૂઆત કરવાનો છે.”
આ પહેલ હેઠળ, રેલવે, ફ્લાઇટ અથવા બસ માટે IRCTC પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરોને હવે DMRC પાસેથી ટિકિટ બુક કરાવવાની વધારાની સુવિધા મળશે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube
The post ‘વન ઈન્ડિયા વન ટિકિટ’ ટૂંક સમયમાં બનશે હકીકત, જાણો શું છે પ્લાન first appeared on SATYA DAY.