નીતિન ગડકરીએ કહ્યું કે હાલમાં ઈંધણની આયાત 16 લાખ કરોડ રૂપિયાની છે. જો તે ઘટાડી શકાશે તો આ પૈસા બહાર મોકલવાને બદલે ખેડૂતોના ઘરે જશે. આવી સ્થિતિમાં ખેડૂતો અન્ન પ્રદાતાની સાથે ઊર્જા પ્રદાતા પણ બની શકે છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ગડકરીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે એક એવી ફોર્મ્યુલા જણાવી છે, જેના દ્વારા એક લીટર પેટ્રોલ માત્ર 15 રૂપિયામાં મળી શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “જો 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી શકે છે. આનાથી માત્ર પ્રદૂષણને દૂર કરવામાં જ મદદ મળશે નહીં, પરંતુ ઇંધણની આયાતમાં પણ ઘટાડો કરી શકાય છે.”
નિતિન ગડકરીએ રાજસ્થાનના પ્રતાપગઢમાં રૂ. 5600 કરોડના સંયુક્ત મૂલ્ય સાથે 11 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં ઈંધણની આયાત 16 લાખ કરોડ રૂપિયાની છે. જો તે ઘટાડી શકાશે તો આ પૈસા બહાર મોકલવાને બદલે ખેડૂતોના ઘરે જશે. આવી સ્થિતિમાં ખેડૂતો અન્ન પ્રદાતા તેમજ ઉર્જા દાતા બની શકે છે. જણાવી દઈએ કે શેરડીમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે અને ભારતમાં શેરડીના લાખો ખેડૂતો છે, જેમની આજીવિકાનો સ્ત્રોત શેરડી છે.
કેન્દ્રીય મંત્રીએ પ્રતાપગઢમાં 5600 કરોડ રૂપિયાના 11 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. કુલ 219 કિમીની લંબાઇ અને રૂ. 3775 કરોડના ખર્ચ સાથે ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.